દરબારસાહેબનો હુકમ સંભાળતા તો ઇજારદારના હાજા ગગડી ગયા. તેના પંડ્યમાંથી પ્રાણ નીકળી ગયા અને રહ્યું માત્ર જીવતું જાગતું ખોળિયું!
કારણ કે દરબારસાહેબનો હુકમ એટલે લોઢે લીટો, એક વખત હુકમ થયો એટલે તેનો અમલ થવો જ જોઈએ. તેમાં આ તો તડીપારનો હુકમ, રાજ તો છોડવું જ પડે. ઈજારદાર આફતમાં આવી ગયા. અને હવે શું કરવું, તેની ચિંતા કરવા લાગ્યા.
ઢસા રાજ્ય વ્યસનમુક્ત રહે તે માટે ગામમાં આવી વ્યસનયુક્ત વસ્તુ વેચવાનો ઈજારો આપવામાં આવતો હતો. જેથી ચોક્કસ વ્યક્તિ જ નિયમની મર્યાદામાં રહી આવી વસ્તુઓનું વેચાણ કે વેપાર કરી શકે. ગામમાં બીડી વેચવા માટેનો ઈજારો અપાયેલો પણ કાયદાનું ઉલ્લંઘન થતાં દરબાર ગોપાલદાસે ઇજારદારને તડીપારની સજા ફરમાવેલી. સજા કરતાં પૂર્વે તેઓએ જાતતપાસ કરી હતી અને તથ્ય જણાતાં સજા કરાઇ હતી.
ઇજારદાર કોચવાતા મને ઘરવખરી ભરવા લાગ્યા હતા. ત્યાં કોઈએ સલાહ આપી કે, રાજમાં ખિતાબો આપવામાં આવે છે અને આવા ખિતાબધારીઓને ખાસ સત્તાઓ હોય છે. તેમને મળો તો તમારી વાતનો નીવેડો આવી શકે.
એકબાજુ દરબાર અને બાજી બાજુ સજા, ત્રાજવે તોળાવા લાગી હતી.સામે પ્રજાજનની નજર હતી કે ત્રાજવું કઈ બાજુ નમે છે! તેમાં ત્રીજું પાસું ઉમેરાયું હતું, ખિતાબધારીઓના વિશેષધિકારનું! હવે થશે શું!?
‘ઢસાનૂર’ના ખિતાબધારી ખીમાભાઈ પટેલને ઇજારદારની વાત ગળે ઊતરી ગઈ હતી. તેમને થયું કે, દરબારસાહેબે ફરમાવેલી સજા ગેરવાજબી તો નથી પરંતુ ગુનાના પ્રમાણમાં વધારે પડતી છે. ખીમાભાઈ દરબારને મળ્યા. વાત કરી.
દરબારે કહ્યું : ‘મારી સજા અફર છે. ઓછી કરવી હોય તો તમારા વિશેષાધિકારનો ઉપયોગ કરો.’
એકબાજુ દરબાર અને બાજી બાજુ સજા, ત્રાજવે તોળાવા લાગી હતી. સામે પ્રજાજનની નજર હતી કે ત્રાજવું કઈ બાજુ નમે છે! તેમાં ત્રીજું પાસું ઉમેરાયું હતું, ખિતાબધારીઓના વિશેષાધિકારનું! હવે થશે શું!?
ખિતાબધારીઓને પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરતાં પૂર્વે અનેક પ્રકારની અટકળો ઊગવા લાગી. દરબારસાહેબને માઠું લાગી જાય. ભલે એ જાહેરમાં કશું ન કહે પરંતુ મનમાં કભાવ રહી જાય જે જાતે દિવસે નુકસાન જ કરે. તેમાંય પાછું દરબારસાહેબનું અફર વલણ. બોલ્યું પાળે જ. નહિતર તો આંખ આડા કાન કરે. સજાની વાતને રોળી નાખે. બધાનું સચવાઈ રહે, પણ એમેય કર્યા જેવું નહોતું.
છતાંય એક વાતે નિરાંત હતી કે, કદાચ કંઈ બને તો દરબારસાહેબને વિનયપૂર્વક કહી શકાય: ‘બાપુ! આપના હુકમનો અમે અમલ કર્યો છે.’
લાવ વાતને નાણી જોવા દે, બાકી આગળ જોયું જશે!
ખીમાભાઈએ ખિતાબધારીને સાથમાં લઇ,બીડીના ઇજારદારને ઢસા વહીવટદારે ફરમાવેલો દરબારસાહેબનો હુકમ મોકૂફ રાખવા આદેશ આપી દીધો.
આદેશનું પાલન થયું અને બીડીના ઇજારદાર બીજા રાજ્યમાં જવા ઉચાળા ભરી રહ્યાંહતા તે અટકી ગયા.
ખીમાભાઇને જોઈ દરબારસાહેબના મુખની એકપણ રેખા બદલાઈ નહોતી. તેથી તેઓ આવકારો આપતા બોલ્યા: ‘આવો, આવો ખીમાભાઈ...’ પછી આગળ ઉમેરીને બોલ્યા: ‘ખીમાભાઇ, તમે તો ઇજારદારને સાવ એમ જ જવા દીધો!’
બીજા દિવસનો સૂરજ ઊગીને હજુ તો સમાનમો થાય ન થાય એ પહેલાં જ ખીમાભાઈ જાતે જઇ દરબારસાહેબને સામેથી મળ્યા. ખીમાભાઇને હતું કે, દરબાર પોતાને જોઈ મો બગડશે. બીજી રીતે, આ વાતનો અણસાર પણ ન આવે તેમ પોતાને ઉતારી પાડશે, ત્રણ ભવનના તારા દેખાડી દેશે તેથી ભવિષ્યમાં આવું કરવાનું કોઈ સ્વપ્નમાં પણ વિચારી ના શકે. પણ આ બધી ખીમાભાઇના મનની ધારણા કે કલ્પના હતી. તેમનો ભ્રમ પાણીમાં ઢેફું ઓગળે તેમ ઓગળી ગયો. કારણકે ખીમાભાઇને જોઈ દરબારસાહેબના મુખની એકપણ રેખા બદલાઈ નહોતી. તેથી તેઓ આવકારો આપતા બોલ્યા: ‘આવો, આવો ખીમાભાઈ...’ પછી આગળ ઉમેરીને બોલ્યા: ‘ખીમાભાઇ, તમે તો ઇજારદારને સાવ એમ જ જવા દીધો!’
ખીમાભાઇ ઘડીભર અબોલ રહ્યા. શું બોલવું તે સૂઝતું નહોતું. હા, મનમાં એક નિરાંત થઇ ગઈ હતી કે, દરબારસાહેબને માઠું લાગ્યું નથી.
‘બાપુ! આપે માફી આપી નહિ પણ તે...’
‘પણ શું ?’ દરબારસાહેબે વળતો સવાલ કરતાં પૂછ્યું.
ખીમાભાઈ કહે, ‘બાપુ તે બહુ પસ્તાતો હતો.’
‘પણ સાવ દંડ વગર જ જવા દીધો!?’ નવાઇ વ્યક્ત કરતાં હોય તેમ દરબારસાહેબ બોલ્યા.
દરબારસાહેબનું આમ કહેવું સાંભળી ખીમાભાઇ ગળગળા થઇ ગયા, આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં અને નીચા નમી દરબારસાહેબને નમવા ગયા...
‘હા બાપુ, અમને એમ લાગ્યું તે એમ કર્યું.’ ખીમાભાઈ ઢીલાપોચા થતાં બોલ્યા: ‘છતાંય અમારી કંઈ ભૂલ થઇ હોય તો માફ કરશો!’
‘ખીમાભાઈ !’ દરબાર છાતી ફુલાવીને બોલ્યા: ‘એમાં માફ કરવાનો કે ભૂલનો સવાલ જ નથી. મને તો એ વાતનો ગર્વ છે કે, મારી પ્રજા રાજાની ભૂલ થાય તો કાન પકડી શકે છે.....અને હિંમતપૂર્વક પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે છે.’
દરબારસાહેબનું આમ કહેવું સાંભળી ખીમાભાઇ ગળગળા થઇ ગયા, આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં અને નીચા નમી દરબારસાહેબને નમવા ગયા ત્યાં દરબારસાહેબે તેમને રોકી લીધા અને કહ્યું: ‘ખીમાભાઇ, મને પણ એટલો જ ગર્વ થાય છે મારી પ્રજા પર...’
આ હતી ક્રાંતિકારી રાજવીના જીવનપ્રસંગની એક ઝલક....
RM / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: