
આસામમાં છેલ્લા 24 કલાકમાં હિંસાની અલગ – અલગ ઘટનાઓમાં 10 લોકોની મોત થઈ ગઈ છે અને અન્ય લોકો ઘાયલ છે. કોકરાઝાર જિલ્લામાં એનડીએફબીના બળવાખોરોના હુમલાથી સાત લોકોની મોત થઈ ગઈ છે. પોલીસ મહાનિરીક્ષક એલઆર બિશ્રોઈએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે હથિયાક લઈને આવેલા આતંકવાદીઓનું એક જૂથ મોડી રાતે 1 વાગ્યે ગોરેશ્વર પોલીસ સ્ટેશન હેઠળ આવનાર બલાપરાજન ગામ – 1ના બે ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો જેમાં સાત લોકોનું સ્થળ પર જ મોત નિપજ્યું.
મૃતકમાં બે બાળક અને ચાર મહિલા સામેલ છે. બે ઘાયલોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં બક્સમાં ત્રણ લોકોને ગોળી મારીને હત્યા કરી કાઢવામાં આવી છે. હત્યા પછી વિસ્તારમાં બે કોમની વચ્ચે વાદવિવાદ વધી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આનંદ બજાર વિસ્તારના એક ગામમાં નેશનલ ડેમોક્રેટિર ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના સભ્યોએ હુમલો કર્યો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ચરમપંથના એક જૂથે આનંદ બજાર વાળા વિસ્તારમાં એક મકાનમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધી, જેના કારણે ત્રણ લોકોની મોત થઈ ગઈ. તેમણે જણાવ્યું કે ઘટના પછી હુમલાખોરો ભાગી ગયા.
PK
Reader's Feedback: