
ભારતમાં હંમેશા પ્રેસની સ્વતંત્રતાને લઈને ચર્ચા થતી રહે છે. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે. 3જીમેના રોજ મનાવવામાં આવતા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર ભારતમાં પણ પ્રેસની સ્વતંત્રતા પર વાતચીત થવી જરૂરી છે. ભારતમાં પ્રેસની સ્વતંત્રતા ભારતીય સંવિધાનના અનુચ્છેદ – 19માં ભારતીયોને આપવામાં આવેલા અભિવ્યક્તિની આઝાદીના મૂળ અધિકારથી સુનિશ્ચિત હોય છે. વિશ્વરસ્તર પર પ્રેસની આઝાદીને સન્માન આપવાને માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા દ્વારા 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઘોષણા કરવામાં આવે છે જેને વિશ્વ પ્રેસ દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.
યૂનેસ્કો દ્વારા 1997થી દરેક વર્ષે 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર ગિલેરમો કોનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ પણ આપવામાં આવે છે. આ પુરસ્કાર તે વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે જેણે પ્રેસની સ્વતંત્રતાને માટે ઉમદા કાર્ય કર્યું હોય.
2014નો ગિલેરમો કોનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પુરસ્કાર તુર્કીના અહમત સિકને આપવમાં આવ્યો. 1997થી અત્યાર સુધી ભારતના કોઈ પણ પત્રકારને આ પુરસ્કાર ના મળવાનું એક મોટું કારણે એ છે કે કેટલાક વરિષ્ઠ પત્રકાર પશ્ચિમ અને ભારતમાં પત્રકારત્વના માપદંડમાં અતંર રાખે છે.
ઉત્તરાખંડ મુક્ત વિશ્વવિદ્યાલયમાં મીડિયા વિભાગના પ્રમુખ ગોવિંદ સિંહે કહ્યું કે ભારતીય પત્રકારત્વમાં હંમેશા વિચાર હાવી થઈ જાય છે. જ્યારે પશ્ચિમમાં તથ્યો પર જોર આપવામાં આવ્યું છે. આમાં ક્યાંકને ક્યાંક અમારા પત્રકારત્વના સ્તરમાં ખામી આવે છે. આ સિવાય ભારતીય પત્રકારોમાં પુરસ્કારોના પ્રત્યે જાગૃતતાની પણ ખામી છે તે જ કારણે કાર્યરત નથી રહેતા.
PK
Reader's Feedback: