જામનગર શહેરમાં છેલ્લા બે વર્ષથી ચોરી, લૂંટ, તફડંચી, ચીલઝડપના બનાવો વધ્યા છે. જો કે, તેનું કારણો એ પણ હોઇ શકે કે એકતરફ તસ્કરોની ચાલાકી વધી હોય અને બીજી તરફ પોલીસની ધાક ઓછી થઇ હોય, કેમ કે નગરમાં રોજ એક સાદી અને દર ૩ દિને એક ઘરફોડ ચોરી થાય છે. પરંતુ પોલીસ વિભાગએ એવું આશ્વાસન લીધું છે કે, ગત વર્ષની સરખામણીએ ચોરીનુ પ્રમાણ ઘટયું છે.
કેલેન્ડર વર્ષ ૨૦૧૪માં જાન્યુઆરી-ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન મળીને જામનગરમાં કુલ ૪૦ ઘરફોડ ચોરી અને ૮૪ સાદી ચોરીઓ રેકર્ડ ઉપર નોંધાઇ છે. જેમાં રોકડ, દાગીના, મોબાઇલ સહિતના સાધનો વગેરે ચોરાયા છે. જિલ્લા પોલીસ મથકના સુત્રોના જણાવ્યા મુજબ ગત કેલેન્ડર વર્ષ-૨૦૧૩માં ઘરફોડ ચોરીઓ ૪૮થી વધુ અને સાદી ચોરીઓ ૯૨થી વધુ હતી જેથી આ વર્ષે પ્રમાણ ઘટયું છે. બીજી તરફ પોલીસ વિભાગ સર્વે કરીને નાઇટ પેટ્રોલીંગ, નાઇટ પોઇન્ટ હજુ વધારે તથા સાથે-સાથે લોકો પણ વધુ એલર્ટ રહે તેની જરૂર છે. એકંદર તંત્રની આ બાબતે વધુ સતર્કતા રહે તે જરૂરી છે.
ખાસ કરીને શિયાળામાં જયારે ઠંડીની સીઝન હોય છે. ત્યારે લોકો કામ-ધંધા પણ વહેલા આટોપી લે છે અને રાત્રે સુઇ જાય ત્યારે પણ ઉંઘ ગાઢ હોય છે. ત્યારે ઘર-દુકાન કે કારખાના વગેરેમાંથી નાની-મોટી ચોરીના બનાવ વધે છે. તો વળી ઉનાળામાં ગરમીના કારણે મોડે સુધી બારી-દરવાજા ખુલ્લા હોય અને ઉંઘ ચઢી જાય તો વધુ બંધ કરવાનું રહી પણ જાય તે બેદરકારી પણ નડે, તેમ પોલીસ વિભાગના તપાસનીસ કર્મચારીઓનું તારણ છે.
જામનગર જિલ્લા પોલીસ વિભાગએ પરિપત્ર કર્યો છે કે જે તે પોલીસ સ્ટેન વિસ્તારના મકાન-દુકાન-ઓફીસ જે રેગ્યુલર ઉપયોગમાં હોય અને ૨૪ કલાકથી વધુ સમય માટે બંધ રાખવાનું હોય, બહારગામ જવાનું હોય તો લગત પોલીસ સ્ટેશનમાં જાણ કરી આપવી ફરજિયાત છે. જેથી પોલીસ વિભાગ જે તે વિસ્તારમાં પેટ્રોલીંગ વગેરે વધારી શકે.
જયારે દુકાન, કારખાનુ, ઓફીસ છોડીને જતા હોય ત્યારે નાણા, કિંમતી વસ્તુઓ દાગીના, મોબાઇલ, લેપટોપ પણ સાથે લઇ જવા અથવા લોક એન્ડ કીમાં રાખવા, આવી પર્સનલ કંઇપણ ચીજવસ્તુઓ રેઢી ન મુકવી તેમજ ઘરમાં પણ અંદર હોઇએ ત્યારે કે બહાર જઇએ ત્યારે યોગ્ય રીતે બારી-દરવાજા બંધ કરી લોક કરવા.
AI/DP
જામનગરમાં દર ત્રીજા દિવસે ચોરીનો એક બનાવ
જામનગર :
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: