મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 283 કિમી દૂર અને ઈંદોરથી માત્ર 99 કિમી દૂર આવેલા માંડૂ(માંડવ) શહેર અગાઉ માળવાની રાજધાની હતી એવું ઈતિહાસકારોએ નોંધ્યું છે. રાણી રૂપમતી આ વિસ્તારની પ્રસિદ્ધ સુંદરી હતી જે બાદશાહ બાજ બહાદુરની પ્રેયસી અને પછી તેમની પત્ની બની હતી. આ બંનેમાં અતૂટ પ્રેમ હતો. જેની કથા આજે પણ માળવાનાં લોકગીતોમાં સાંભળી શકાય છે.
મધ્યપ્રદેશના સૌથી વધુ વિકસિત શહેર ઈંદોર પાસે આવેલું છે ઐતિહાસિક અને અમરપ્રેમના પ્રતીક સમાન શહેર માંડવ અર્થાત્ માંડૂ. અહીંની હરિયાળી પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.
અનેક હિન્દી ફિલ્મોમાં અહીંનાં મનોરમ કુદરતી દ્રશ્યોને સામેલ કરવામાં આવ્યાં છે. અહીંના રાણી રૂપમતીના મહેલ અને તેની આસપાસનો નજારો નયનરમ્ય છે. આ મહેલનું નિર્માણ બાજબહાદુરે કરાવ્યું હતું. એવું કહેવાય છે કે રાણી રૂપમતી અહીં બેસતી હતી અને તેના મહેલની નીચેની તરફ અન્ય એક મહેલ છે જે બાજ બહાદુરનો મહેલ કહેવાય છે, ત્યાંથી બાજ બહાદુર રૂપમતીને નિહાળતા રહેતા હતા.
આ ઉપરાંત માંડૂમાં કેટલાંક એવાં સ્મારકો પણ છે જે જોવાલાયક છે. તેમાં એક સામેલ છે, નીલકંઠ. પહાડ પર બનેલું તે એક જૂનું શિવમંદિર છે. તેની નજીકમાં છે નીલકંઠ મહેલ જે મુગલ સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો છે. માંડૂ લગભગ 45 કિમી લાંબી દીવાલોથી ઘેરાયેલું છે અને તેમાં 12 દરવાજા છે. જેનો મુખ્ય દરવાજો છે, દિલ્હી દરવાજો. જ્યાં સુધી પહોંચવા માટે અનેક દરવાજાઓમાંથી પસાર થવું પડે છે.
ઈતિહાસ પ્રમાણે 1561માં મુગલ બાદશાહ અકબરના સેનાપતિ આદમખાને માળવા પર આક્રમણ કર્યુ અને બાજબહાદુરને પરાજિત કર્યા. એ દરમિયાન રાણી રૂપમતી દુશ્મનોના હાથમાં સપડાયાં હતાં પણ રૂપમતીએ સમર્પણ કરવાના બદલે પોતાનો જીવ આપી દીધો હતો.
અહીંનું કુદરતી વાતાવરણ મનોરમ છે. વરસાદ પછીથી પ્રવાસીઓ અહીં આવવા લાગે છે. વિદેશી પ્રવાસીઓ માટે માંડૂ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
JD / YS
અમરપ્રેમનું પ્રતીક માંડવ શહેર
ઈંદોર :
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: