સોકરપ્રેમીઓ આનંદિત થઈ જાય તેવી એક બાબત એ છે કે હવે તેઓ અમદાવાદમાં જ કોલંબિયાના કોચ દ્વારા સોકરની વિશ્વકક્ષાની તાલીમ મેળવી શકશે. તાજેતરમાં જ શહેરમાં મુંબઈની સોકર કનેક્શન એકેડમી દ્વારા એકલવ્ય સ્પોર્ટસ એકેડમી ખાતે કાયમી સોકર ટ્રેનિંગ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ સોકર ક્નેક્શનનો પ્રાંરભ જાણીતી સેલિબ્રિટી મોડલ અમૃતા રાયચંદની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આગામી 9 એપ્રિલથી ફૂટબોલ કોચિંગનો પ્રારંભ કરવામાં આવશે.
સોકર કનેક્શનના સીઇઓ રાહુલ રાયચંદે જીજીએન સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, ધીરેધીરે અમદાવાદમાં યુવાનોનો રસ આ રમતમાં વિકસ્યો છે. શરૂઆતના તબક્કે જ આ તાલીમમાં જોડાવા બાળકો તથા વાલીઓએ ખૂબ રસ દાખવ્યો છે. મુંબઈ, પુના, મોહાલી અને ચંદીગઢમાં અમને ઘણી સારી સફળતા મળી હોવાથી અમે ઇચ્છીએ છીએ કે અમદાવાદના સોકરપ્રેમીઓને પણ અમે વિશ્વકક્ષાની તાલીમ આપી શકીએ.
રાહુલ રાયચંદે તાલીમની ફી અંગે વાત કરતાં કહ્યું કે, મહિનામાં 24 સેશનમાં એટલે કે અઠવાડિયામાં બે દિવસ સોકરની તાલીમ આપવામાં આવશં જેની ફી 2000 રૂપિયા રાખવામાં આવી છે. આ તાલીમ અંતર્ગત તાલીમાર્થીઓને ટીમવર્ક, ફિટનેસ, રમત માટેની શિસ્ત અંગે પણ પાયાની તાલીમ આપીને પૂરતા સજાગ કરવામાં આવશે.
અમદાવાદમાં ફૂટબોલની તાલીમ આપવા માટે સોકર કનેક્શન દ્વારા કોલબિંયા, સાઉથ અમેરિકાના કોચ એલેકન્ઝાડર એસ્પેજો તથા નેશનલકક્ષાના ખેલાડી સઇદ અલી અબ્બાસ રિઝવી દ્વારા વૈશ્વિક તાલીમ આપવા માટેનું આયોજન થયું છે.
સાઉથ અમેરિકાના કોચ એલેકઝાન્ડર એસ્પેજો પેનાએ જણાવ્યું હતું કે, મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે અહીં ફૂટબોલ માટે બાળકોસહિત યુવાનોમાં પણ ખૂબ ઉત્સાહ છે. હું ઇચ્છું કે અહીં તાલીમ આપીને હું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરના ફૂટબોલ ખેલાડી તૈયાર કરું.
ભારતના ભૂતપૂર્વ ખેલાડી અને કોચ સઇદ અલી અબ્બાસ રિઝવીએ આ એકડેમીના પ્રારંભે કહ્યું કે, ભારતમાં ધીરે ધીરે પણ મક્કમપણે સોક માટેનો એક માહોલ તૈયાર થઈ રહ્યો છે. આ રમત એવી છે જેમાં દરેક તબક્કે બધા જ ખેલાડી મહત્વના હોય છે. વળી ઓછા સમયમાં રસપ્રદ રીતે પૂર્ણ થતી આ મેચને ટીનેજર્સ ખૂબ પંસદ કરી રહ્યાં છે. અમે લોકો તાલીમાર્થીઓને સ્પોર્ટસ માટે જરૂરી ખોરાકથી માંડીને ટીમવર્ક, ફિટનેસ જેવી ઘણી બાબતોની તાલીમ આપીશું.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમા શરૂ થયેલી સોકર એકેડમી દ્વારા રમતગમત ક્ષેત્રે સામાજિક જવાબદારી નિભાવતા પંજાબના હોશિયારપુરમાં ફૂટબોલની નિઃશુલ્ક તાલીમ અપાઈ હતી. મુંબઈમાં પણ સેલિબ્રટીનાં બાળકો સોકરની તાલીમ લેવા આ એકેડમીમાં આવવાનું વધારે પસંદ કરે છે.
MP/DT
ફૂટબોલ માટે ઉપલબ્ધ થશે વૈશ્વિકસ્તરનું કોચિંગ
અમદાવાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: