ફેસબુક મેસેન્જર દ્વારા મફતમાં ફોન થઈ શકશે
નવી દિલ્હી :
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક દ્વારા નવું ફીચર શરૂ કરવામાં આવ્યું છે. જેનું નામ ફેસબુક મેસેન્જર છે. જેના દ્વારા ફ્રી ફોન કોલ થઈ શકશે. આ સેવા માત્ર એન્ડ્રોઈડ ફોન પર જ ઉપલબ્ધ બનશે.
ફેસબુકના 120 કરોડથી વધુ યુઝર માટે વિનામુલ્યે ફોન કોલ્સની સુવિધા આપવામાં આવી છે અને આનો અમલ પણ શરૂ થઇ ગયો છે. વોઇસ કોલની સુવિધાથી ફોન પણ થઈ શકશે. આ ફીચરની ખાસિયત એ છે કે ઓછી સ્પીડમાં પણ ચાલે છે ઉપરાંત અવાજ પણ એકદમ સ્પષ્ટ આવે છે. નવા ફીચરથી ફેસબૂક એકાઉન્ટ ધરાવનારા યુઝરો અંદરોઅંદર વિનામૂલ્યે ફોનથી અનલીમીટેડ વાત કરી શકશે.
પોતાના ફેસબુક એકાઉન્ટ ખોલીને જેને પણ કોલ કરવો હોય તેની મેસેજ માટેની પર્સનલ વિન્ડો ખૂલી હોવી જોઇએ. તેના ઓપ્શન મેનુમાં જવાથી ‘ફ્રી કોલ' લખેલું ઓપ્શન આવશે. જેના પર કલીક કરવાથી સામેના ફેસબૂક યુઝર સાથે કોલ જોડાઇ જશે.
આ ફ્રી સર્વિસથી ફેસબુક યુઝરની પ્રાઇવેસી અંગે પણ કેટલાંક સવાલ ઉભા થયા છે. કોઇપણ ફેસબૂક યુઝર એકબીજાના ફ્રેન્ડ લિસ્ટમાં હોય તેને કોઇપણ સમયે કોલ કરી શકે છે. અત્યારે બીટા વર્ઝનમાં હોવાથી ફ્રેન્ડ લીસ્ટમાં નામ ન હોય તેવા ફેસબૂક યુઝરને પણ કોલ કરો તો લાગી જાય છે. આ ગંભીર બાબત અંગે ફેસબુકે વિચારવું પડશે તેમ મનાય છે. આમ ફેસબુક દ્વારા ફ્રી કોલ્સની સુવિધા વિશ્વભરમાં તહેલકો મચાવી દેશે તેવું લાગી રહયું છે. દેશ-વિદેશ કોઇપણ જગ્યાએ તમે ફ્રી વાતચીત કરી શકો તેવી સુવિધા ફેસબૂકના કરોડો યુઝર માટે મળતી થઇ ગઇ છે. જો કે આવી બીજી એપ્લીકેશનો પણ બજારમાં છે પરંતુ ફેસબુક પાસે કરોડો યુઝરનો મોટો સમુહ હોવાથી ફેસબુકમાં આ સુવિધા જબરજસ્ત ફેલાવો કરશે તેમ મનાય છે.
ફેસબુક મેસેન્જરમાં પહેલાંથી જ ચેટ, ફોટો તથા વોઈસ મેસેજ શેર કરવાનું ફીચર છે. આ પહેલાં જ પણ એવા ઘણાં એપ્લિકેશન છે જે ફ્રી ફોન કોલિંગની સુવિધા આપે છે. જેમાં બીબર, વી ચેટ તથા લાઈન પહેલાંથી જ ખૂબ લોકપ્રિય છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: