લોકસભાની ચૂંટણીના દિવસે સુરત શહેર અને જિલ્લાના ૪૦૦ જેટલા મતદાન મથકો પર ચૂંટણી વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા મુકાશે અને ખાસ ઉભા કરાયેલા કંટ્રોલરૃમમાં મતદાન વખતની તમામ ગતિવિધિ હાજર સક્ષણ અધિકારી નિહાળી કશુંક અઘટિત લાગતું હશે તો તુરંત કાર્યવાહી કરવાના આદેશો આપશે.
આ લોકસભાની ચૂંટણીમાં જેમ ઉમેદવારો હાઇટેક પ્રચાર કરી રહ્યાં છે, તેમ ચૂંટણીતંત્ર પર હાઇટેક બન્યું છે. સુરત જિલ્લામાં ત્રણ લોકસભા બેઠક સુરત, નવસારી અને બારડોલીનો સમાવેશ થાય છે અને આ ત્રણેય બેઠક મળી કુલ ૩૮૯૪ મતદાન મથકો છે અને ચૂંટણીપંચના આદેશ મુજબ સરેરાશ ૧૦ ટકા મતદાન મથકો પર સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે.
સુરત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સુરત જિલ્લામાં અંદાજે ૪૦૦ જેટલા મતદાન મથકો પર સીસીટીવી કેમેરા ગોઠવવાનું આયોજન હાથ ધરાયું છે અને આ કેમેરાની કનેકટીવીટી ચૂંટણી અધિકારી દ્વારા ખાસ ઉભા કરાયેલા કંટ્રોલરૃમમાં ્અપાશે અને આ કંટ્રોલરૃમમાં મામલતદાર કક્ષાના અધિકારીને ફરજ સોંપાશે તેમજ ચૂંટણીનાં દિવસે મતદાન મથકમાં મોક પોલ રાઉન્ડ શરૂ થાય ત્યાંથી લઇને છેક મતદાન મથક બંધ કરાય ત્યાં સુધીનું મતદાન મથકનું લાઇવ કવરેજ નિહાળતા રહેશે અને મતદાન દરમ્યાન કશુંક અઘટિત હિલચાલ ખબર પડશે તો તુરંત જ સક્ષમ અધિકારીને કાર્યવાહી કરવાના આદેશો આપશે. ટુંકમાં લોકસભાની ચૂંટણીના દિવસે મતદાન વખતે ઉમેદવારોના એજન્ટો, પોલીંગ સ્ટાફ, મતદાન કરવા આવનારા મતદારો, હાજર પોલીસ સ્ટાફ પર સતત સીસીટીવી કેમેરાની નજર ફરતી રહેશે.
CP/DP
સુરત: 400 કેમેરા મતદાન મથકો ઉપર નજર રાખશે
સુરત :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: