ઘરની સુરક્ષા બાબતે ન રહો ગાફેલ
અમદાવાદ : સ્વચ્છ અને સુંદર ઘરસજાવટ સ્ત્રીનો વિશેષ ગુણ છે, પરંતુ આ વિશેષ ગુણ સાથે ઘરમાં સેફ્ટી ટિપ્સ અમલમાં મુકાય તો તે સ્ત્રીની વિશેષ આવડત ગણાશે. આજે શહેરોમાં ચોરી અને લૂંટફાટ વધવા લાગ્યાં છે. તો એવા સમયમાં સતર્કતા રાખીને તમે મોટા નુકસાનથી બચી શકો છો. તો ચાલો આજે જાણી લો કે હોમ સેફ્ટી માટે કેવી કેવી ઝીણવટભરી બાબતો યાદ રાખવી જોઈએ. કેટલીક નાની સાવધાની અને સતર્કતા રાખશો તો મોટી મુશ્કેલીઓ કે દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી જશો
ઘરના દરવાજામાં લગાવવાની ‘મેજિક આઈ’ મળે છે. તે તમામે લગાવવી જ જોઈએ. જેથી જ્યારે પણ ઘરનો દરવાજો ખખડે ત્યારે તમે ઘરમાંથી બહાર જોઈ શકો.
ઘરની બહારનો ડોરબેલ ચાલે છે કે નહીં તે ચેક કરી લેવું.
અત્યારે ટેકનોલોજી ઘણી વિકસી ગઈ છે. તો તમે ઘરમાં પણ ક્લોઝ સર્કિટ કેમેરા લગાવી શકો છો. વર્કિંગ વુમન આખો દિવસ એકલાં રહેતાં બાળકોનું ધ્યાન રાખી શકે તે માટે ઘરમાં પર્સનલ સીસીટીવી કેમેરા લગાવીને તેને કમ્પ્યૂટર સાથે જોડીને પણ પોતાના ઘર પર નજર રાખી શકે છે.
એપાર્ટમેન્ટમાં રહેતાં હો તો બહારગામ જતી વખતે ગેટકીપર અને ચોકીદારને અવશ્ય જાણ કરવી.
હંમેશાં ચેક કરતાં રહેવું કે ઘરમાં અથવા તો સોસાયટીમાં સંકટ સમયની એલાર્મ સીસ્ટમ લગાવવામાં આવી છે તે યોગ્ય રીતે ચાલે છે કે નહીં?
ઘરનાં બારણાંમાં સેફ્ટી ચેન લગાવવી જેથી દરવાજો આખો ન ખૂલી જાય.
તમે બંગલામાં કે ટેનામેન્ટમાં રહેતાં હો અને તમારું ઘર છેવાડાનું હોય તો ઘર પાસે કાંટાવાળાં વૃક્ષો અથવા તો બાઉન્ડ્રી વોલ પર તાર લગાવડાવી દેવાં.
તમારું ઘર છેવાડાનું હોય તો વરંડા કે પરસાળની લાઇટ ઘરની અંદરથી થતી હોય તેવી વ્યવસ્થા કરવી. જેથી રાત્રે કંઇક તપાસ કરવી હોય તો તમે દરવાજો ખોલીને બહાર જવાને બદલે અંદરથી જ લાઇટ કરી શકો.
ઘરની સુરક્ષા માટેનો સૌથી સારો વિકલ્પ છે ફિંગરપ્રિન્ટ લોક. આ પ્રકારનું લોક જેના ફિંગરપ્રિન્ટ નોટ થયા હશે તેનાથી જ ખૂલશે.
ઘરમાં નોકર, ઘરઘાટી, સિક્યોરિટી ગાર્ડ હોય તો તેમનું નામ, ઓળખપત્ર, સરનામું તમારા વિસ્તારના પોલીસસ્ટેશનમાં રજિસ્ટર કરાવડાવો. રજિસ્ટ્રેશન કરાવવાથી ભવિષ્યમાં ક્યારેય જો ઘરમાં ચોરી કે લૂંટ જેવી દુર્ઘટના થાય તો ચોરને શોધવામાં સરળતા રહે છે.
ઘરની અથવા તો તિજોરીની ચાવીઓ મોટા ભાગે ડ્રેસિંગ ટેબલ, ડ્રોઅર, ગાદલાંની નીચે છુપાવવામાં આવતી હોય છે. યાદ રાખો કે આ બધી જ એકદમ કોમન જગ્યાઓ છે. ઘરમાં ચોરી કરવા આવેલી વ્યક્તિ આ બધી જ જગ્યાઓએ સૌથી પહેલાં ચાવીઓની શોધખોળ કરે છે.
ઘરમાં કામ કરવા આવતાં નોકર કે બાળકોનું ધ્યાન રાખવા માટે મેડ રાખી હોય તો તેને તમારી અંગત વાતો ઉપરાંત બહાર જવાના પ્લાનિંગ વિશે અગાઉથી કોઈ વાતો ન કહેવી.
પતિ- પત્ની બંને કામ કરતાં હોય તો નોકરના ભરોસે ઘર છોડીને ન જાઓ. બંનેમાંથી કોઈ એક વ્યક્તિની હાજરી હોય ત્યારે જ ઘરનું કામ કરાવડાવવું.
આજકાલ બાળકોના અપહરણની ઘટનાઓ પણ વધી રહી છે. માટે જો બાળકો નાનાં હોય તો એમને પહેલેથી ઘરના સભ્યોનાં નામ તથા ઘરનું સરનામું, મોબાઇલ નંબર મોઢે કરાવી દેવા.
આજકાલ સ્લાઇડિંગ વિન્ડોની ફેશન છે. તમે ફલેટમાં રહેતાં હો તો સ્લાઇડિંગ વિન્ડોની બહાર નાની જાળી કે ગ્રિલ લગાવો જેથી બાળકો રમતાં હોય તો પડી જવાનો કે વાગવાનો ભય ન રહે.
ઘણી વાર મોબાઇલ કે લેન્ડલાઇન ફોન પર જુદી જુદી બેંકના નામે તમારા ક્રેડિટ કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર જણાવવાના, અલગ અલગ સ્કીમ માટેના ફોન આવતા હોય છે. આ પ્રકારના કોલ્સમાં તમારા બેંકએકાઉન્ટને લગતી કે અન્ય કોઈ પણ અંગત માહિતી ન આપવી જોઈએ.
નોકર જ્યારે રજા પર હોય ત્યારે તેમની અવેજીમાં બીજા કોઈ વ્યક્તિને મૂકી જાય છે. આવી વ્યક્તિનાં કામ અને ભૂતકાળની ચોકસાઈ કર્યા પછી જ તેમને કામ પર રાખવા.
MP / YS
ઘરના દરવાજામાં લગાવવાની ‘મેજિક આઈ’ મળે છે. તે તમામે લગાવવી જ જોઈએ. જેથી જ્યારે પણ ઘરનો દરવાજો ખખડે ત્યારે તમે ઘરમાંથી બહાર જોઈ શકો.
ઘરની બહારનો ડોરબેલ ચાલે છે કે નહીં તે ચેક કરી લેવું.
અત્યારે ટેકનોલોજી ઘણી વિકસી ગઈ છે. તો તમે ઘરમાં પણ ક્લોઝ સર્કિટ કેમેરા લગાવી શકો છો. વર્કિંગ વુમન આખો દિવસ એકલાં રહેતાં બાળકોનું ધ્યાન રાખી શકે તે માટે ઘરમાં પર્સનલ સીસીટીવી કેમેરા લગાવીને તેને કમ્પ્યૂટર સાથે જોડીને પણ પોતાના ઘર પર નજર રાખી શકે છે.
એપાર્ટમેન્ટમાં રહેતાં હો તો બહારગામ જતી વખતે ગેટકીપર અને ચોકીદારને અવશ્ય જાણ કરવી.
હંમેશાં ચેક કરતાં રહેવું કે ઘરમાં અથવા તો સોસાયટીમાં સંકટ સમયની એલાર્મ સીસ્ટમ લગાવવામાં આવી છે તે યોગ્ય રીતે ચાલે છે કે નહીં?
ઘરનાં બારણાંમાં સેફ્ટી ચેન લગાવવી જેથી દરવાજો આખો ન ખૂલી જાય.
તમે બંગલામાં કે ટેનામેન્ટમાં રહેતાં હો અને તમારું ઘર છેવાડાનું હોય તો ઘર પાસે કાંટાવાળાં વૃક્ષો અથવા તો બાઉન્ડ્રી વોલ પર તાર લગાવડાવી દેવાં.
તમારું ઘર છેવાડાનું હોય તો વરંડા કે પરસાળની લાઇટ ઘરની અંદરથી થતી હોય તેવી વ્યવસ્થા કરવી. જેથી રાત્રે કંઇક તપાસ કરવી હોય તો તમે દરવાજો ખોલીને બહાર જવાને બદલે અંદરથી જ લાઇટ કરી શકો.
ઘરની સુરક્ષા માટેનો સૌથી સારો વિકલ્પ છે ફિંગરપ્રિન્ટ લોક. આ પ્રકારનું લોક જેના ફિંગરપ્રિન્ટ નોટ થયા હશે તેનાથી જ ખૂલશે.
ઘરમાં નોકર, ઘરઘાટી, સિક્યોરિટી ગાર્ડ હોય તો તેમનું નામ, ઓળખપત્ર, સરનામું તમારા વિસ્તારના પોલીસસ્ટેશનમાં રજિસ્ટર કરાવડાવો. રજિસ્ટ્રેશન કરાવવાથી ભવિષ્યમાં ક્યારેય જો ઘરમાં ચોરી કે લૂંટ જેવી દુર્ઘટના થાય તો ચોરને શોધવામાં સરળતા રહે છે.
ઘરની અથવા તો તિજોરીની ચાવીઓ મોટા ભાગે ડ્રેસિંગ ટેબલ, ડ્રોઅર, ગાદલાંની નીચે છુપાવવામાં આવતી હોય છે. યાદ રાખો કે આ બધી જ એકદમ કોમન જગ્યાઓ છે. ઘરમાં ચોરી કરવા આવેલી વ્યક્તિ આ બધી જ જગ્યાઓએ સૌથી પહેલાં ચાવીઓની શોધખોળ કરે છે.
ઘરમાં કામ કરવા આવતાં નોકર કે બાળકોનું ધ્યાન રાખવા માટે મેડ રાખી હોય તો તેને તમારી અંગત વાતો ઉપરાંત બહાર જવાના પ્લાનિંગ વિશે અગાઉથી કોઈ વાતો ન કહેવી.
પતિ- પત્ની બંને કામ કરતાં હોય તો નોકરના ભરોસે ઘર છોડીને ન જાઓ. બંનેમાંથી કોઈ એક વ્યક્તિની હાજરી હોય ત્યારે જ ઘરનું કામ કરાવડાવવું.
આજકાલ બાળકોના અપહરણની ઘટનાઓ પણ વધી રહી છે. માટે જો બાળકો નાનાં હોય તો એમને પહેલેથી ઘરના સભ્યોનાં નામ તથા ઘરનું સરનામું, મોબાઇલ નંબર મોઢે કરાવી દેવા.
આજકાલ સ્લાઇડિંગ વિન્ડોની ફેશન છે. તમે ફલેટમાં રહેતાં હો તો સ્લાઇડિંગ વિન્ડોની બહાર નાની જાળી કે ગ્રિલ લગાવો જેથી બાળકો રમતાં હોય તો પડી જવાનો કે વાગવાનો ભય ન રહે.
ઘણી વાર મોબાઇલ કે લેન્ડલાઇન ફોન પર જુદી જુદી બેંકના નામે તમારા ક્રેડિટ કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર જણાવવાના, અલગ અલગ સ્કીમ માટેના ફોન આવતા હોય છે. આ પ્રકારના કોલ્સમાં તમારા બેંકએકાઉન્ટને લગતી કે અન્ય કોઈ પણ અંગત માહિતી ન આપવી જોઈએ.
નોકર જ્યારે રજા પર હોય ત્યારે તેમની અવેજીમાં બીજા કોઈ વ્યક્તિને મૂકી જાય છે. આવી વ્યક્તિનાં કામ અને ભૂતકાળની ચોકસાઈ કર્યા પછી જ તેમને કામ પર રાખવા.
MP / YS
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: