વેકેશન પડે એટલે મમ્મી પપ્પા સહિત બાળકો એવા આયોજનમાં પડી જતા હોય છે કે, આ વખતે વેકેશનમાં ક્યાં જવું? બાળકોની મનગમતી જગ્યામાં અમ્યુઝમેન્ટ પાર્કની પસંદગી પહેલી હોય છે તેમાંય જો આ પાર્ક એસ્સેલ વલ્ડૅ હોય તો પૂછવું જ શું. તાજેતરમાં જ બાળકોની આવી ધમાલમસ્તીને ધ્યાનમાં રાખીને વેકેશનની શરૂઆતના તબક્કે જ એસ્સેલ વલ્ડૅમાં ટોપ સ્પિન નામની મજેદાર રાઇડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એસ્સેલ વલ્ડૅમાં શરૂ થયેલી આ રાઇડનું ઉદ્ધાટન અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ દ્વારા કરવામાં આવ્યું હતું.
આજે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા એસ્સેલ વલ્ર્ડ અને વોટરકિંગડમના માર્કેટિંગ અને સેલ્સહેડ ભૂષણ આનંદ મોતિયાનીએ જણાવ્યું હતું કે, ''40 લોકો બેસી શકે તેવી અને હાઇડ્રોલિક લોક ધરાવતી આ ટોપ સ્પિન રાઇડ બેસનારાને અદભુત થ્રીલનો અનુભવ કરાવશે. ''
''ટોપસ્પિન રાઇડની લોકપ્રિયતા અને તેના બનાવવામાં થયેલા ખર્ચ અંગે માહિતી આપતા ભૂષણ આનંદ મોતિયાનીએ જણાવ્યુ હતું કે, આશરે 8 થી 9 લાખના ખર્ચે બનેલી આ રાઇડ શરૂ થયા બાદ અમને તેના ઘણા જ સારા પ્રતિભાવો મળ્યા છે. લોકોના આ ઉત્સાહને કારણે જ અમે છેલ્લા 3 વર્ષમાં 5થી 6 નવી રાઇડ શરૂ કરવાનો ઉત્સાહ દાખવી શક્યા છીએ. '' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે આશરે 1.6 મિલિયન પ્રવાસીઓ એસ્સેલ વલ્ડૅની મુલાકાત લે છે. અમને એવી આશા છે કે, આ રાઇડની લોકપ્રિયતા થકી અમે આ વધારે પ્રવાસીઓને આકર્ષી શકીશું.
ઉલ્લેખનીય છે કે એસ્સેલ વલ્ડૅ અને તેના જ પરિસરમાં આવેલો વોટર કિંગડમ નામનો થીમ વોટર પાર્ક મોટા ભાગના સહેલાણીઓને આકર્ષે છે. આશરે 68 જેટલી રાઇડ્સ ધરાવતું એસ્સેલ વલ્ડૅ અને 36 રાઇડ્ઝ ધરાવતો વોટર કિંગડમ વોટર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
હાઇથ્રીલનો અનુભવ કરાવતી આ રાઇડ્ની ટેકનોલોજીની વિશેષતા અને સહેલાણીઓની સુરક્ષાવ્યવસ્થા માટે શું ધ્યાન રાખવામાં આવે છે તેવા જીજીએને કરેલા પ્રશ્નના ઉત્તરમાં ભૂષણઆનંદ મોતિયાનીએ જણાવ્યું હતું કે, ''રાઇડ્સની ટેકનોલોજીથી માહિતગાર રહેવા અમે દેશ વિદેશના અમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્ઝનો અભ્યાસ કરતા હોઈએ છીએ. તેમ જ સતત સંશોધન પણ કરતા રહીએ છીએ. નવી શરૂ થયેલી સ્પિન રાઇડને પણ જર્મની દ્વારા માન્યતા આપવામાં આવી છે. ''
રાઇડની સુરક્ષાના સંદર્ભે જીજીએન સાથે વિશેષ વાત કરતા ભૂષણઆનંદ મોતિયાનીએ કહ્યું કે, ''અમે ત્રણ તબક્કામાં આગળ વધીએ છીએ. જેમાં પહેલા તબક્કામાં આવે છે બેઝિક સિક્યુરિટી. જેમાં અમે વયમર્યાદા નક્કી કરી છે. ટોપ સ્પિનમાં ફક્ત 14 વર્ષથી ઉપરની વયના લોકો જ બેસી શકશે. આ ઉપરાતં સગર્ભા સ્ત્રી કે કાર્ડિયાક પેશન્ટને બેસવાની મનાઈ હોય છે અને આ અંગેની સૂચના દરેક રાઇડ પાસે લગાવેલી હોય છે. રાઇડમાં બેઠા બાદ તેમાં ડ્યૂઅલ શોલ્ડર લોક, લેપ લોક જેવી વ્યવસ્થા હોય છે અને રાઇડ શરૂ થયા બાદ જો કોઈ સમસ્યા હોય તો રાઇડ શરૂ જ ન થાય તેવી વ્યવસ્થા છે. વળી અમારી દરેક રાઇડ ચાલતી હોય ત્યારે અમારી એક ટીમ ત્યાં હાજર જ રહે છે.''
MP/DT
હવે મજા કરાવશે એસ્સેલ વલ્ડૅની ટોપ સ્પિન રાઇડ
અમદાવાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: