માઈક્રોમેક્સ કેનવાસ 2 કલર્સનું ઓનલાઈન વેચાણ શરૂ થયું
નવી દિલ્હી :
માઈક્રોમેક્સ કેનવાસ 2 કલર્સ સ્માર્ટફોનનુમ વેચાણ શરૂ થઈ ગયું છે. ઓનલાઈન રીટેલર સ્નેપડીલ પર ઓ ફોનની કિંમત રૂ. 11,500 દર્શાવવામાં આવી રહી છે. પરંતુ 13 ટકા ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત રૂ. 9969 થવા જાય છે. ગત સપ્તાહે આ સ્માર્ટપોન માઈક્રોમેક્સની વેબસાઈટ પર લિસ્ટ થયો હતો, પરંતુ કંપનીએ તેની કિંમત કે વેચાણ શરૂ થવા અંગે કોઈ જાણકારી આપી નહોતી.
માઈક્રોમેક્સ કેનવાસ 2 કલર્સની સૌથી મોટી ખાસિયત તેની રંગીન બ્લેક પેનલ છે. કેનવાસ 2 કલર્સ ડાર્ક ગ્રે તથા વ્હાઈટ કલરમાં છે. ડાર્ક ગ્રે કલરની સાથે લાલ અને લીલા રંગની બેક પેનલ આપવામાં આવશે. સફેદ કલરવાળા સ્માર્ટફોનની સાથે પીળા અને લીલા રંગની બેક પેનલ અપાશે.
આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. જેમાં 720x1280 પિક્સલ રિઝોલ્યુશનવાળું 5 ઈંચની એચડી આઈપીએસ ડિસ્પ્લે છે. ફોનમાં 1.3 ગીગાહર્ટઝ ક્વોડ કોર પ્રોસેસર તથા એક જીબી રેમ છે. જે એન્ડ્રોઈડ 4.2 જેલીબીન પર ચાલે છે. પાછળની બીજુએ એલઈડી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો કેમેરો છે. આગળની તરફ 2 મેગા પિક્સલનો કેમેરો છે. 4 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવતા ફોનમાં 32 જીબી સુધીનું માઈક્રો એસડી કાર્ડ લગાવી શકાય છે.
કેનવાસ 2 કલર્સની બેટરી 2000mAh છે. કનેક્ટિવિટી વિકલ્પમાં 3જી, જીપીએસ, વાઈ-ફાઈ, માઈક્રો-યુએસબી તથા બ્લૂટૂથનો સમાવેશ થાય છે. ગત સપ્તાહે માઈક્રોમેક્સ દ્વારા 6 ઈંચ ડિસ્પ્લે ધરાવતો માઈક્રોમેક્સ કેનવાસ ડૂડલ 3 લોન્ચ કરવામાં આવ્યો હતો. જેની કિંમત રૂ. 8500 રાખવામાં આવી હતી.
નોંધનીય છે કે આ પહેલાં લાવા પણ આ પ્રકારનો સ્માર્ટફોન લાવા આઈરિસ 450 કલર લોન્ચ કરી ચૂકી છે. લાવાના ફોનમાં પણ બેક પેનલ બદલી શકાય છે અને તેની કિંમત રૂ. 7999 છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: