
આઈબેરીએ ઓક્ટા કોર ઓક્સસ ન્યૂક્લિયા X ભારતમાં લોન્ચ કર્યો

આઈબેરી દ્વારા ભારતમાં 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આઈબેરી ઓક્સસ ન્યૂક્લિયા એક્સની કિંમત રૂ. 12,999 છે. આઈબેરી ઓક્સસ હેન્ડી H01ની કિંમત રૂ. 4990 રાખવામાં આવી છે. આઈબેરી ઓક્સસ ન્યૂક્લિયા Xમાં ઓકટા-કોર પ્રોસેસર લાગેલું છે અને 12,999ની કિંમત સાથે ઓક્ટા કોર પ્રોસેસરવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. 5 મેથી આ બંને મોડલોનું ઓનલાઈન વેચાણ શરૂ થઈ જશે.
આઈબેરી ઓક્સસ ન્યૂક્લિયા X કંપનીનો ઓક્ટોકોર પ્રોસેસર આધારિત બીજો ફોન છે. આ પહેલા કંપની દ્વારા ઓક્ટા કોર પ્રોસેસર ધરાવતો ઓક્સસ ન્યૂક્લિયા N2 લોન્ચ કરવામાં આવ્યો છે. આઈબેરી ઓક્સસ ન્યૂક્લિયા Xમાં 1.7 ગીગાહર્ટઢ ઓક્ટા કોર મીડિયાટેક MT6592 પ્રોસેસર, એક જીબી રેમ છે. 720x1280 પિક્સલ રિઝોલ્યુશનવાળી 5 ઈંચની એચડી ડિસ્પ્લે પણ છે. ડિસ્પ્લેમાં વન ગ્લાસ સોલ્યુશન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. એન્ડ્રોઈડ 4.2 જેલીબીન પર ચાલતો આ ફોન ડ્યૂઅલ સિમને સપોર્ટ કરે છે.
ઓક્સસ ન્યૂક્લિયા xમાં પાછળની બાજુએ ઓટોફોકસવાળો 13 મેગાપિક્સલનો કેમેરો છે. 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. 8 જીબી ઈન્ટરનલ મેમરી ધરાવતાં ફોનમાં 64 જીબી સુધીનું માઈક્રો એસડી કાર્ડ લગાવી શકાય છે. ફોનમાં 2800mAhની શક્તિશાળી બેટરી છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ 4,0, માઈક્રો યુએસબી, એ-જીપીએસ તથા 3જીનો સમાવેશ થાય છે.
4990ની કિંમત ધરાવતા આઈબેરી ઓક્સસ હેંડી H01માં 4 ઈંચની આઈપીએસ ડિસ્પ્લે છે. જેમાં 1.3 ગીગાહર્ટઝ ડ્યૂઅલ કોર મીડિયાટેક MT6572 પ્રોસેસર, 512 એમબી રેમ છે. આ ફોન એન્ડ્રોઈડ 4.2 જેલીબીન પર ચાલે છે. ઓક્સસ હેંડી H01માં પાછળની બાજુએ 3 મેગાપિક્સલ તથા આગળની તરફ 1.3 મેગા પિક્સલનો કેમેરો છે. ફોનની બેટરી ક્ષમતા 1800mAh છે. કનેક્ટિવિટી વિક્લ્પોમાં થ્રીજી, વાઈ-ફાઈ, બ્લૂટૂથ તથા જીપીએસ અને એ-જીપીએસનો સમાવેશ થાય છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: