શમણાના ઘરને વિવિધ રીતે સજાવીએ પરંતુ જો તે ચોખ્ખું ન હોય તો ન જ ગમે. ખાસ કરીને રસોડું. ઘરમાં ભલે મોડ્યુલર કિચન હોય, પરંતુ રસોડું ચોખ્ખું ન હોય તો ગમે તેટલી અત્યાધુનિક સજાવટની પણ મજા રહેતી નથી. તમે તમારા રસોડા સહિત આખા ઘરને એકદમ હાથવગી અને સરળતાથી પ્રાપ્ય વસ્તુઓની મદદથી એકદમ ચકચકાટ કરી શકો છો. તો ચાલો આજે ચતુર નાર એ પણ જાણી લે કે કેટલી સરળતાથી રસોડાને ચમકાવી શકાય છે.
ખટમીઠું લીંબુ સફાઇમાં અગ્રેસર
લીંબુ ખટાશયુક્ત ફળ હોવાથી તેની મદદથી તેલના ડાઘ અને જમા થયેલી ગંદકી સારી રીતે દૂર થઈ શકે છે. આ ઉપરાતં લીંબુનો રસ તો ત્વચાની રંગત પણ નિખારે છે.
ચિકાશનો દુશ્મન સરકો
સરકો એ ચિકાશને દૂર કરે છે. રસોડામાં કે બાથરૂમમાં જામેલી ચિકાશ દૂર કરવા એક નરમ રૂમાલને સરકામાં બોળીને તેની મદદથી ટાઇલ્સ સાફ કરી શકાય. વધારે મેલાં થયેલાં કપડાં બોળતી વખતે પાણીમાં થોડો સરકો ઉમેરી દેશો તો એમ કરવાથી કપડાં ચોખ્ખાં થઈ જશે.
સફાઇ માટે જરૂરી બ્લિચિંગ પાઉડર
બાથરૂમ તથા ટોઇલેટની ટાઇલ્સ સાફ કરવા માટે સ્ત્રીઓએ એસિડને બદલે બ્લિચિંગનો જ ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને દાઝવાનો ભય ઓછો રહે. તમે પોતું કરવામાં પણ દર ત્રણેક દિવસે બ્લિચિંગનો ઉપયોગ કરી શકો છો.
દુર્ગંધનું મારણ બેકિંગ સોડા
ઘરની સ્વચ્છતા જાળવવામાં બેકિંગ સોડા પણ અગત્યની વસ્તુ છે. બેકિંગ સોડાનો ઉપયોગ કરવાતી રસોડામાં રહેલી વાસ દૂર થઈ જાય છે. જ્યારે તળેલી વસ્તુ બનાવી હોય અને તેની સ્મેલ આખા ઘરમાં ફેલાઈ જતી હોય અથવા તો ડુંગળી કે લસણ અને કેટલાક મસાલાની તીવ્ર વાસ દૂર કરવી હોય તો પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને સફાઈ કરવી જોઈએ.
પીવાની સાથે સફાઇમાં ઉપયોગી કોલ્ડડ્રિંક્સ
કોલ્ડડ્રિંકસ કે કોલાડ્રિંક્સ નામે જાણીતા ઠંડાં પીણાંની મદદથી બાથટબ, સિંક, ટોઇલેટ પોટની સફાઈ કરી શકાય છે. કોલ્ડડ્રિંકથી સફાઈ કરવી હોય તો તેને સિંક, ટોઇલેટ પોટ કે બાથટબમાં રેડીને 20- 25 મિનિટ માટે રહેવા દેવું . ત્યાર બાદ બ્રશથી સાફ કરી નાખવું.
કાટને દૂર કરશે બટાકા
બટાકા શાકમાં તો ઘણા બધાના પ્રિય છે પરંતુ આ જ બટાકા કાટનો દુશ્મન નંબર એક છે. કોઇ પણ વાસણને કાટ લાગ્યો હોય ત્યારે બટાકો ઘસીને તે કાટ દૂર કરી શકાય છે. બટાકામાં રહેલો ઓક્ઝેલિક એસિડ કાટને દૂર કરે છે. બટાકાની મદદથી કાચ અને સિલ્વરના વાસણોની સાફસફાઈ સરળતાથી થઈ શકે છે.
MP / YS
સરળ ઉપાયોથી ઘર ચમકશે સોના જેવું
અમદાવાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: