રાજસ્થાનમાં આઈઆઈટી દિલ્હીના છ વિધાર્થીઓને રોડ અકસ્માત થવા પામ્યો છે. જેમાંથી ચાર વિધાર્થીઓના મોત નિપજ્યાં છે. આ વિધાર્થીઓ પ્લેસમેન્ટ થતાં પાર્ટી કરવા માટે રાજસ્થાન ગયા હતા.
પોલીસે જણાવ્યા અનુસાર, આઈઆઈટી દિલ્હીના વિધાર્થીઓ ઈનોવા ગાડીમાં સવાર હતાં. 6 વિધાર્થીઓમાંથી 2 ઈજાગ્રસ્ત છે. પોલીસે કહ્યું કે જયપુરથી 500 કિલોમીટર દૂર જેસલમેર પાસે કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં 4 વિધાર્થીઓના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત વિધાર્થીઓની સારવાર જોધપુર એમડીએમ હોસ્પિટલમાં ચાલી રહી છે.
મૃતક વિધાર્થીઓના નામ પલ્લવ અગ્રવાલ ( છત્તીસગઢ ), અર્ચના મંડલ (બિહાર), દીક્ષા ગૌતમ ( દિલ્હી ) અને મયંક ગોયલ ( દિલ્હી ) છે.
પોલિસ નિરીક્ષક જેઠા રામે કહ્યું કે ટ્રાવેલ એન્જસીની ઈનોવા કારમાં આ 6 વિધાર્થીઓ રાજસ્થાન જઈ રહ્યાં હતાં. ટાયર ફાટવાથી ડ્રાઈવર ગાડીને સંભાળી ન શક્યો.
RP
Reader's Feedback: