શીખ રમખાણ કેસઃ સોનિયા પાસે પાસપોર્ટ કોપી માંગતી અમેરિકાની કોર્ટે
નવી દિલ્હી :
અમેરિકાની અદાલતે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સાત એપ્રિલ સુધી પોતાના પાસપોર્ટની કોપી જમા કરાવવાનો આદેશ કર્યો છે. કોર્ટે આદેશ આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં તે અમેરિકામાં હતી કે નહીં તેના પુરાવાના ભાગરૂપે તેણીએ સાત એપ્રિલ સુધીમાં પાસપાર્ટની જમા કરાવી દેવી. જ્યારે માનવઅધિકાર સમૂહ દ્વારા 1984ના શીખ રમખાણઓ અંગે સમન્સ બહાર પાડવાનો દાવો કર્યો છે.
શીખ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા દાવો કવામાં આવ્યો હતો કે સોનિયા ગત વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં મેમોરિયલ સ્લોયન કેટરિંગ કેન્સર સેન્ટરમાં મેડિકલ ચેકઅપ માટે આવી ત્યારે તેને સમન્સ આપવામાં આવ્યું હતું. આ સમૂહ દ્વારા અદાલતમાં સોનિયાના એવા દાવાને પડકારાવામાં આવ્યો હતો કે ગત સપ્ટેમ્બરમાં તે ન્યૂયોર્કમાં હતી જ નહીં.
મેનહચન સંધીય અદાલતના જજ બ્રાયન કોગને જણાવ્યું હતું કે, સોનિયા એ સાબિત કરી શકી નહોતી કે ગત વર્ષે 2થી 12 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં હતી. આ વાતની સાબિતી માટે તેણે પ્રાથમિક રીતે પોતાના પાસપોર્ટની કોપી સાત એપ્રિલ સુધીમાં કોર્ટમાં જમા કરાવી દેવી જોઈએ. જેથી એમ સાબિત થઈ જાય કે તે ઉપરોક્ત સમયગાળા દરમિયાન અમેરિકામાં હતી કે નહીં.
સોનિયાના વકીલ રવિ બત્રાએ આ આદેશ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જજે સમય ન વેડફવા બદલ તથા કેસને જલ્દી ખતમ કરવા માટે દસ્તાવેજી પૂરાવા રજૂ કરવાનું કહ્યું છે. બત્રાએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના એક લેટરપેડ પર સોનિયાના હસ્તાક્ષરવાળો તેણે લખેલો પત્ર કોર્ટમાં જમા કરાવ્યો છે. જેમાં સોનિયાએ લખ્યું છે કે એસએફજેના દાવાની વિરુદ્ધમાં તે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં હતી જ નહીં અને તેને આ અંગે કોઈ સમન્સ મળ્યું નથી.
એસએફજેના કાનૂની સલાહકાર ગુરપતવંત સિંહ પન્નૂને જણાવ્યું હતું કે, જો સોનિયા ગાંધી સાત એપ્રિલ સુધીમાં પુરાવા રજૂ નહીં કરે તો સમૂહ 1984માં શીખ વિરોધી રમખાણોમાં સામેલ કોંગ્રેસ પાર્ટીના નેતાઓને બચાવવાના આરોપમાં તેની વિરુદ્ધ કેસ શરૂ કરવાની અદાલતમાં અપીલ કરવામાં આવશે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: