થોડા સમય પહેલા ધનુષને ફક્ત દક્ષિણના સિનેમા પ્રેમીઓ જ ઓળખતા હતા. કોલાવરી...ડી એ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો. તે ફક્ત ભારતમાં જ નહીં આખી દુનિયામાં જાણીતો બની ગયો. દક્ષિણની અત્યાર સુધીમાં બે ડઝન જેટલી ફિલ્મો કરી ચૂકેલો ધનુષ રાંઝણા ફિલ્મથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. તેણે જીજીએન સાથે પોતાના જીવનના કેટલાક અંગત અને સુંદર પળોની વાતોને શેર કરી.
પ્ર: ધનુષ, તારી પહેલી હિન્દી ફિલ્મ રાંઝણામાં એક છોકરમત પ્રેમ દર્શાવવામાં આવ્યો છે, શું ક્યારેય લાઇફમાં આવો અનુભવ થયો હતો?
ઉ: જ્યારે હું સોળ વર્ષનો હતો ત્યારે મને એક છોકરી સાથે પ્રેમ થયો હતો. એ મારી ક્લાસમેટ નહોતી અને મારી સાથે મારી સ્કુલમાં પણ નહોતી ભણતી. તે મારો પહેલો પ્રેમ હતી પણ મને તેનો સાથ ફક્ત એક વર્ષ સુધી જ મળ્યો. પછી તે મને છોડીને જતી રહી.
પ્ર: કિશોરાવસ્થાનો એ પ્રેમ ફક્ત આકર્ષણ હતું એવું નથી લાગતું?
ઉ: જ્યારે તે મને છોડીને ગઇ ત્યારે મેં પણ આ જ વિચાર્યું હતું કે ક્યાંક તે મારું આકર્ષણ તો નહોતું ને પણ જ્યારે ત્રણ વર્ષ પસાર થયા ત્યારે સમજાયું કે તે પ્રેમ જ હતો. મને ત્યાં સુધીમાં સમજાઇ ગયું હતું કે જ્યારે પ્રેમ થાય છે, ત્યારે બાકી બધું જ ભૂલી જવાય છે. આજે હું મારી મમ્મીને દિવસમાં ત્રણ વાર ફોન કરું છું પણ તે સમયે મને મારી માની યાદ પણ નહોતી આવતી.
પ્ર: તે પ્રેમ આજે પણ મનના ઊંડાણમાં ક્યાંક છૂપાયેલો છે. ક્યારેય યાદ આવે છે ખરી?
ઉ: હા, તે તમામ વાત આજેપણ મારા મનમાં છૂપાયેલી છે. જોકે હવે તો લગ્નને પણ નવ વર્ષ થઇ ગયા છે અને મારે બે દિકરાઓ પણ છે. તો પણ તે છોકરીને ભૂલી શક્યો નથી.
પ્ર: શું તારી પત્ની ઐશ્વર્યાને તેની ખબર છે?
ઉ: હા, મેં એને કહ્યું હતું કે મારા જીવનનું એક વર્ષ મારા માટે ખૂબ જ સુંદર હતું. તે સમજી ગઇ એટલે કોઇ તકલીફ થઇ નથી.
પ્ર: શું ઐશ્વર્યા પ્રત્યે પણ પ્રેમ થયો હતો?
ઉ: આ પ્રેમ ખૂબ અલગ હતો. અમે બંને અને અમારો પ્રેમ ખૂબ મેચ્યોર હતો. જ્યારે મારી બીજી ફિલ્મ રીલીઝ થઇ તો તેનું આખું કુટુંબ તે જોવા માટે આવ્યું હતું. ફિલ્મ પૂરી થતાં જ થિયેટરવાળાએ મને કહ્યું કે રજનીકાંતના કુટુંબના લોકો મને મળવા માંગે છે. મારી અને ઐશ્વર્યાની મુલાકાત ત્યાં જ થઇ અને તેણે મારા કામના વખાણ કર્યા. તે સામાન્ય મુલાકાત હતી. ત્યારપછી તેણે મને ફુલ મોકલ્યા. પછી ધીમે ધીમે મળવાનું થયું ગયું અને એકબીજાના પરિચયમાં આવ્યા. આજે પતિ-પત્ની છીએ.
પ્ર: ઐશ્વર્યાને પહેલી નજરમાં તારી સાથે પ્રેમ થઇ ગયો હતો?
ઉ: મારો ચહેરો તો જુઓ. શું તમને લાગે છે કે કોઇપણ યુવતી મને પહેલી નજરમાં જોઇને જ પ્રેમમાં પડી જશે. એતો મારો અંદાજ જ અલગ હતો કે તે મારી તરફ ખેંચાતી ગઇ.
પ્ર: તે 21 વર્ષની ઉંમરમાં જ લગ્ન કરી લીધા. કામ પર અસર ન પડી?
ઉ: કામ પર નહીં પણ પરિવાર પર વધારે અસર પડી. હું તેમને વધારે સમય નથી આપી શક્યો. બહાર જાઉં તો મોટો દીકરો નારાજ થઇ જાય છે. ઐશ્વર્યાને પણ હું વધારે સમય નથી આપી શકતો. મને ખબર છે કે હું એક સારો પતિ નથી બની શક્યો પણ એક સારો પિતા બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
પ્ર: ધનુષ જો એક્ટર ન હોત તો શું હોત?
ઉ: હું કોઇ ફાઇવસ્ટાર હોટલમાં કુક હોત. હું હોટલ મેનેજમેન્ટનું ભણ્યો છું.
MPB / KP
મારો પ્રેમ મને છોડીને જતો રહ્યો: ધનુષ
મુંબઈ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: