“પ્યાસા”, ગાઈડ”, “તીસરી કસમ” જેવી ફિલ્મોમાં ભૂમિકા નિભાવનાર વહીદા રહેમાનને એવા કેટલાક રોલ અંગે અફસોસ છે જે તે કરી શકી નહોતી. આઈએએનએસ સાથેની વહીદા રહેમાનની ખાસ વાતચીતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છેઃ
પ્રશ્નઃ આપે કરેલાં કેટલાક રોલ વિશે જણાવશો?
વહીદાઃ મેં અનેક ફિલ્મોમાં કામ કર્યું અને અનેક ઉત્કૃષ્ટ ભૂમિકાઓ પણ ભજવી છે પરંતુ હું તમને કહીશ કે મને એવા કેટલાક રોલ યાદ છે કે જેમાં મેં કામ નથી કર્યું અને તેનો મને અફસોસ છે. 1974માં શ્યામ બેનેગલ દ્વારા નિર્મિત ફિલ્મ “અંકુર”માં અભિનય ન આપ્યાનો અફસોસ મને હંમેશાં રહેશે.
----------------------------------------------------------------------------------------------------------
પ્રશ્નઃ તમારી પસંદગીની ફિલ્મ કઈ છે?
વહીદાઃ 1975માં બનેલી ફિલ્મ “ગાઈડ” મારી સૌથી વધુ પસંદગીની ફિલ્મ છે. આ જ ફિલ્મે મને મારા જીવનનો પ્રથમ ઍવોર્ડ પણ અપાવ્યો હતો. મને આશા નહોતી કે મને ઍવોર્ડ મળશે કારણ કે લોકો એવું માનતા હતા કે આ ફિલ્મમાં મારા રોલ સાથે કોઈને સહાનુભૂતિ નહોતી અને એ સમયે તો એવા જ રોલ પસંદ કરવામાં આવતા હતા જેને નિહાળીને દયા આવી જાય. તેથી જ્યારે મને ઍવોર્ડ મળ્યો તો મને ખૂબ નવાઈ લાગી હતી.
----------------------------------------------------------------------------------------------------------
પ્રશ્નઃ “ગાઈડ”ની રિમેક બનાવવા અંગે કંઈ કહેશો?
વહીદાઃ મને લાગે છે કે જો આ ફિલ્મની રિમેક બને તો હું રોઝીની ભૂમિકામાં આજની હિરોઈન વિદ્યા બાલનને જોવા ઈચ્છીશ કેમ કે તે એક સારી એક્ટ્રેસ અને સારી ડાન્સર પણ છે.
----------------------------------------------------------------------------------------------------------
પ્રશ્નઃ આજની ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે આપના વિચારો જણાવશો?
વહીદાઃ ભારતીય સિનેમા માટે આજનો સમય ખૂબ સારો છે. આજનો દર્શક મૅચ્યોર બન્યો છે. એટલું જ નહીં કલાકાર અને ફિલ્મકાર પણ અનુભવી બન્યાં છે. તેથી જ આજે દરેક પ્રકારની ફિલ્મો બની રહી છે. અગુ દાદા સાહેબ ફાળકેની ફિલ્મોમાં તો સ્ત્રીઓની ભૂમિકા પણ પુરુષો જ ભજવતા હતા. જ્યારે હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.”
----------------------------------------------------------------------------------------------------------
પ્રશ્નઃ આપની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ ફિલ્મનિર્માતા કોણ છે?
વહીદાઃ મારી દ્રષ્ટિએ ગુરુ દત્તની ફિલ્મોનો કોઈ જવાબ નથી પરંતુ મારા હિસાબે સત્યજિત રૅ ખરેખર જિનિયસ ફિલ્મનિર્માતા હતા. હું તેમના પછી તરત ગુરુ દત્તસાહેબનું નામ લઈશ કે જેમનું કામ મને હંમેશાં આશ્ચર્યચક્તિ કરતું હતું.
JD / YS /AP
“ગાઈડ”ની રિમેકમાં વિદ્યા શોભશેઃ વહીદા
મુંબઈ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: