અજમેર દરગાહમાં બાયો મેટ્રિક કાર્ડથી પ્રવેશ મળશે
અજમેર :
દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ સહિત બોલિવૂડની વિભૂતિઓ જ્યાં પોતાનું માથું ટેકવવા આવે છે તે વિશ્વ વિખ્યાત દરગાહ ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં આગામી દિવસોમાં બાયો મેટ્રિક કાર્ડ દ્વારા જ પ્રવેશી મેળવી શકાશે.
કેન્દ્રીય લઘુમતિ મંત્રાલયના નિર્દેશ પર દરગાહ કમિટીએ આને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સુરક્ષાની દૃષ્ટિ અને દરગાહની મુલાકાતે આવતા લોકોની સંખ્યા જાણી શકાય એવા બેવડા હેતુથી આ કવાયત હાથ ધરવામાં આવી છે.
અત્યાર સુધી માત્ર તિરુપતિ બાલાજી, વૈષ્ણોદેવી અને શિરડી સાંઈબાબા મંદિરમાં જ આ પ્રકારની વ્યવસ્થા હતી. દરગાહમાં આવનારા 5 વર્ષથી વધુ ઉંમરના પ્રત્યેક વ્યક્તિ માટે આ વિશેષ કાર્ડ બનાવવામાં આવશે. જેમાં મુલાકાતીના ફોટા સહિત તેની અન્ય તમામ વિગતો આવરી લેવામાં આવી હશે.
આ એક પ્રકારનું ડિજિટલ ફોટોગ્રાફ બેસ્ટ પિલગ્રિમ ટૂરિસ્ટ રજિસ્ટ્રેશન હશે. મુલાકાતી અજમેરમાં કેટલા દિવસ રોકાશે તથા તેની ઓળખ શું હશે તેની વિગત પણ આ રજિસ્ટ્રેશન કાર્ડમાં હશે. આ કાર્ડ મશીન પર મુકતા જ સામે મુકવામાં આવેલી સ્ક્રીન પર તમામ વિગતો દેખાશે.
દરગાહ કમિટીના સભ્ય મોહમ્મદ ઉબેદુલ્લાહ શરીફ પ્રમાણે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કાર્ડ બનાવવા માટે દરગાહના દરેક દરવાજે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને અન્ય મુખ્ય સ્થળો પર પણ કાર્ડની સુવિધા મળી રહે તેવી કોશિશ કરવામાં આવશે. ઉર્સ વખતે કાયડ વિશ્રામ સ્થલીમાં 100 કાઉન્ટર બનાવવામાં આવશે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવ્સથા પણ ગોઠવવામાં આવશે.
કાર્ડ નિઃશુલ્ક હશે
શરીફના મત પ્રમાણે કાર્ડ બનાવવા માટે કોઈ કિંમત લેવામાં આવશે નહીં. સ્વયં દરગાહ કમેટીએ પણ આ પ્રોજેક્ટ માટે પૈસા ખર્ચવા નહીં પડે. તેનો સમગ્ર ખર્ચ કાર્ડની પાછળ પ્રકાશિત થનારા કેન્દ્રિય કે રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયોની જાહેરખબરો દ્વારા ઊભો થશે. દરગાહ કમેટીની આગામી બેઠકમાં આ પ્રોજેક્ટનું પ્રેઝનટેશન કમેટી સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવશે. કમેટીએ લીલી ઝંડી આપ્યા બાદ આ પ્રોજ્કટને ખૂબ ઝડપથી શરૂ કરવામાં આવશે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: