અમદાવાદીઓ કરકસર માટે જાણીતા છે. અહિં રતનપોળમાં કપડાં ખરીદવા જાવ તો વેપારી હવામાં ‘ના’ની મુદ્રામાં હાથ હલાવી ચા મંગાવે ત્યારે એ ચાની રાહમાં લોકોની ટ્રેઈન ચૂકી ગયાના દાખલાઓ છે. આવા અમદાવાદમાં રસ્તા પર મળતી અડધી ચા કટિંગ ચા તરીકે આખી દુનિયામાં ખ્યાતિ મેળવી ચૂકી છે. ચા-ખાંડ અને દુધના ભાવમા બેરોકટોક વધારાને લીધે કીટલી પર મળતી ચા મોંઘી થતી જાય છે ત્યારે વેપારીઓ ઘરાકને એજ ભાવમાં ઓછી ચા આપવા કપની સાઈઝ નાની કરતાં જાય છે. હવે એ કપની સાઈઝ ઘટતાં ઘટતાં ચા દવા પીવાની દસ મિ.લી. સાઈઝની પ્યાલીમા મળતી થઈ ગઈ છે.
સારંગપુર પાસે કીટલી ફૂટપાથ પર વર્ષોથી કીટલી ચલાવતા શંકરજી મકનજીએ કહ્યું કે ‘હમાર પાસ બીજો કોઈ રસ્તો જ નઈ મળે’. શંકરજીના કહેવા મુજબ વેપારીઓ દુકાનમાં કામ કરતાં નોકર અને ઘરાક માટે ચા મંગાવે છે. જો જૂની સાઈઝના કપમાં ચા આપવામાં આવે તો કટિંગ ચા પણ દસ રૂપિયાથી ઓછાં ભાવમાં પોસાય નહી. પણ દસ રૂપિયા ભાવ વેપારીઓને પોસાતો નથી. આ સંજોગોમાં કપની સાઈઝ ઘટાડવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી.
આમ થવાનું બીજું એક કારણ એ પણ છે કે ચામાં પહેલેથી જ પાણી વધારે નાખવાનો રીવાજ અમદાવાદમાં પ્રચલિત છે. એટલે સુધી કે કોઈ અમદાવાદી આખા દુધની ચા પીવે તો એને પેટની તકલીફ ઊભી થાય છે. આમ, હવે દૂધનું પ્રમાણ વધું ઘટાડવું શક્ય નથી. એ જ રીતે ચા બનાવવામાં ચાના કુચા સવારે છ વાગ્યે પહેલી જગડખાની ચા બને ત્યારથી રાત્રે છેલ્લી ચા સુધી રીસાયકલ થયા કરે છે. આમ ચામાં વધું ભેળસેળ કે ઇકોનોમી શક્ય નથી. છેવટના ઉપાય તરીકે કટિંગ ચાના ભાવ વધાર્યા સિવાય કપની સાઈઝ નાની કરવાનો સાબુ, શેમ્પુ, બિસ્કીટમાં કારગત ગયેલો ઉપાય ચાની કીટલીવાળાઓએ અપનાવ્યો છે.
જોકે શું આટલી ચાથી સંતોષ થાય ખરો? એવું જયારે અમે અમદાવાદીઓને પૂછ્યું તો અરવિંદભાઈ નામના ચાના બંધાણીએ કહ્યું કે ‘મારે દિવસમાં વીસ વખત ચા જોઈએ છે, હવે દસ રૂપિયા ક્યાંથી પોસાય?’ તો બીજાં એક ચાના રસિયાએ કહ્યું કે ‘મારે તો ચાની સુગંધ જોઈએ, પછી ભલે બે ઘૂંટડા ચા હોય’. અમદાવાદીઓ જે રીતે ચાની એક ચુસકીથી સંતોષ માણી રહ્યા છે એ જોતાં ભવિષ્યમાં ચાના કપમાં અંગૂઠો બોળી ચુસવાના દસ રૂપિયા આપવાના દિવસ આવે તો નવાઈ નહી.
AA/DP
Home» Humour» Humour Rumours» The popular cutting tea in ahmedabad gets smaller one can have it in one cap full of medicine bottle
અમદાવાદી કટિંગ ચા હવે દવા પીવાની ઢાંકણી જેટલાં નાના કપમાં..
અમદાવાદ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: