પાકિસ્તાનમાં વિસ્ફોટમાં 20થી વધુના મોત, 70 ઘાયલ
લાહોર :
પાકિસ્તાનમાં ઈસ્લામાબાદના ફ્રૂટ બજારમાં થયેલા વિસ્ફોટમાં 20થી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ 70 લોકો ઘાયલ થયાં છે. વિસ્ફોટ રાજધાનીના સેક્ટર 1-11ના ફળ બજારમાં થયો હતો. કોઈ વ્યક્તિ કે ગ્રુપ દ્વારા વિસ્ફોટની જવાબદારી લેવામાં આવી નથી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે તહરીકા એ તાલિબાન પાકિસ્તાનના પ્રવક્તા શાહિદુલ્લા શાહિદે વિસ્ફોટને વખોડી કાઢ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બજારમાં એક પેટી લાવવામાં આવી હતી. જેમાં ચાર-પાંચ કિલોગ્રામ વજનના શક્તિશાળી બોંબ મુકવામાં આવ્યા હતા.
લોકો જ્યારે ફળની હરાજી માટે એકર્ત થયા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (પીઆઈએમએસ)ના કુલપતિ પ્રો જાવેદ અકરમને કહ્યું હતું કે, અત્યાર સુધીમાં અમને 18 મૃતદેહો મળ્યા છે. હોલી ફેમિલી હોસ્પિટલમાં વધુ બે - ત્રણ મૃતદેહો છે. મૃતદેહોની સંખ્યા હજુ પણ વધી શકે છે. લગભગ 70 લોકો ઘાયલ થયા છે, જે પૈકી 14ની હાલત વધુ ગંભીર છે.
સુરક્ષા અધિકારીઓ તથા પોલિસ દ્વારા વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી છે તથા અન્ય વિસ્ફોટક ઉપકરણો શોધી રહ્યા છે. ઈસ્લામાબાદના પોલિસ મહાનિરીક્ષક ખાલિદ ખટ્ટકે વિસ્ફોટ સ્થળની બહાર પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, વિસ્ફોટ સમયે બજારમાં લગભગ 1500થી 2000 લોકો હતા.
ઉલ્લેખનીય છે કે આના એક મહિના પહેલાં જ ઈસ્લામાબાદની અદાલતમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો આર્મી કોર કમાન્ડરના સંમલેન પહેલાં થયો હોવાથી બહુ સૂચક માનવામાં આવે છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: