Home» Sports» Olympic» Narsingh yadav to fight at olympic

આજે પહેલવાન નરસિંહ પર ભારતને આશા

Agencies | August 10, 2012, 02:47 PM IST

લંડન : ભારતને એક મેડલની આશા આજે કુસ્તીબાજ નરસિંહ યાદવ પૂરી કરી શકે છે. 74 કિલો વજન ધરાવતાં પહેલવાન નરસિંહ યાદવ સાંજે 4.15 વાગ્યાથી પોતાની રમત શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે 2010ના કોમનવેલ્થની રમતોમાં નરસિંહે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નરસિંહ યાદવ આજે 74 કિલો વર્ગના મુકાબલમાં રમશે. ભારતીય કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતેલાં સુશીલકુમાર ઉપરાંત નરસિંહે પણ છેલ્લાં બે વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં જન્મેલો નરસિંહ કુસ્તીમાં પોતાનું કૌવત બતાવીને મેડલ જીતી શકે છે. 2010ના કોમનવેલ્થ ગેમ્સમાં નરસિંહને બે મહિના પહેલાં જ ઘૂંટણમાં ઇજા થઈ હતી અને ઓપરેશન કરાવવું પડ્યું હતું.

ઘણા લોકોનું એવું માનવું હતું કે, તે રમતમાં ભાગ નહીં લઈ શકે. જોકે યાદવે પોતાની હિંમત અને લગનથી રમતમાં ભાગ પણ લીધો અને ભારત માટે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

MP / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %