દીપેશ-અભિષેક કેસમાં ત્રિવેદી પંચે રિપોર્ટ આપ્યો
અમદાવાદ : શહેરના ચકચારી આસારામ આશ્રમના દીપેશ- અભિષેક અપમૃત્યુ કેસમાં જસ્ટિસ ડી.કે. ત્રિવેદી પંચે આખરે આજે રાજ્ય સરકારને આખરી અહેવાલ સુપરત કર્યો છે. સીલબંધ કવરમાં રજુ કરવામાં આવેલા અહેવાલ અંગે તંત્રએ ભારે ચુપકીદી સેવી છે. દીપેશ -અભિષેક અપમૃત્યુ કેસમાં તપાસ માટે નિમાયેલા જસ્ટિસ ડી.કે. ત્રિવેદી પંચ દ્વારા તેનો આખરી અહેવાલ આજે રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવ્યો છે. બંને બાળકોના મોતની તપાસ તેમજ આસારામ આશ્રમમાં ચાલતી તાંત્રિક વિધિની તપાસ માટે જસ્ટિસ ડી.કે. ત્રિવેદી પંચની રચના કરવામાં આવી છે. જસ્ટિસ ત્રિવેદી પંચની મુદતમાં સરકારે અગાઉ ૯ થી ૧૦ વખત વધારો કર્યો હતો. આજે ૩૧મી જુલાઇના રોજ પંચની મુદતનો આખરી દિવસ હતો. પંચની મુદતમાં આ વખતે વધારો કરવામાં આવ્યો નથી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે જસ્ટિસ ત્રિવેદી પંચે આજે તેમનો આખરી અહેવાલ રાજયના કાયદા વિભાગમાં જમા કરાવી દીધો છે. સીલબંધ કવરમાં રજુ કરવામાં આવેલા તપાસ પંચના અહેવાલમાં શું હશે તે બાબતે તર્ક વિતર્કો ચાલી રહ્યા છે.
ગત તા. ૫મી જુલાઇ ૨૦૦૮ના રોજ સાબરમતી નદીના પટમાંથી દીપેશ વાઘેલા અને અભિષેક વાઘેલાની લાશો પોલીસને મળી હતી. બંને બાળકો આસારામ આશ્રમ સંચાલિત ગરુકુળમાં રહેતા હતા. ૩જી જુલાઇથી બંને બાળકો ગુમ હતા. જોકે આશ્રમ સત્તાવાળાઓએ તેમના વાલીઓને જુદા-જુદા જાદુટોણામાં રોકી રાખી બાળકોની શોધખોળ કરવામાં કે પોલીસ ફરિયાદ નોંધાવવામાં ભારે વિલંબ કર્યો હતો. અપમૃત્યુ પામેલા બંને બાળકોના પિતાએ તેમના સંતાનોને તાંત્રિક વિધિ માટે મારી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાબતે હોબાળા બાદ લોકઆંદોલન શરૂ થયું હતું. આખરે તપાસ માટે ઓગસ્ટ ૨૦૦૮માં જસ્ટિસ ડી.કે. ત્રિવેદી પંચની રચના કરવામાં આવી હતી. જસ્ટિસ ત્રિવેદી પંચ દ્વારા તપાસ માટે ૨૦૧૨માં જ આસારામના પુત્ર નારાયણ સાંઇને પંચ સમક્ષ બોલાવ્યા હતા. તેમજ તેમની જુબાની નોંધી હતી. તે સિવાય પંચ દ્વારા ગત તા. ૧લી ડસેમ્બર ૨૦૧૨ના રોજ આસારામને પણ પંચ સમક્ષ બોલાવવામાં આવ્યા હતા. બંને પિતા-પુત્રએ પંચ સમક્ષ હાજર રહેવા અનેક અખાડા કર્યા બાદ પણ તેમને હાજર રહેવું પડયું હતું.
દીપેશ- અભિષેક અપમૃત્યુ કેસમાં સાત સાધકો સામે થયેલી ફરિયાદમાં આરોપીઓ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી ૭મી ઓગસ્ટ પર મુલત્વી રહી છે. આ કેસની વિગત એવી છે કે બંને બાળકોના અપમૃત્યુ કેસમાં આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરવા આજે આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર થવાનું હતું. જોકે એક આરોપી આજે કોર્ટ સમક્ષ હાજર ન થતાં ચાર્જફ્રેમની કાર્યવાહી થઇ શકી ન હતી.
JD/DT
ગત તા. ૫મી જુલાઇ ૨૦૦૮ના રોજ સાબરમતી નદીના પટમાંથી દીપેશ વાઘેલા અને અભિષેક વાઘેલાની લાશો પોલીસને મળી હતી. બંને બાળકો આસારામ આશ્રમ સંચાલિત ગરુકુળમાં રહેતા હતા. ૩જી જુલાઇથી બંને બાળકો ગુમ હતા. જોકે આશ્રમ સત્તાવાળાઓએ તેમના વાલીઓને જુદા-જુદા જાદુટોણામાં રોકી રાખી બાળકોની શોધખોળ કરવામાં કે પોલીસ ફરિયાદ નોંધાવવામાં ભારે વિલંબ કર્યો હતો. અપમૃત્યુ પામેલા બંને બાળકોના પિતાએ તેમના સંતાનોને તાંત્રિક વિધિ માટે મારી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાબતે હોબાળા બાદ લોકઆંદોલન શરૂ થયું હતું. આખરે તપાસ માટે ઓગસ્ટ ૨૦૦૮માં જસ્ટિસ ડી.કે. ત્રિવેદી પંચની રચના કરવામાં આવી હતી. જસ્ટિસ ત્રિવેદી પંચ દ્વારા તપાસ માટે ૨૦૧૨માં જ આસારામના પુત્ર નારાયણ સાંઇને પંચ સમક્ષ બોલાવ્યા હતા. તેમજ તેમની જુબાની નોંધી હતી. તે સિવાય પંચ દ્વારા ગત તા. ૧લી ડસેમ્બર ૨૦૧૨ના રોજ આસારામને પણ પંચ સમક્ષ બોલાવવામાં આવ્યા હતા. બંને પિતા-પુત્રએ પંચ સમક્ષ હાજર રહેવા અનેક અખાડા કર્યા બાદ પણ તેમને હાજર રહેવું પડયું હતું.
દીપેશ- અભિષેક અપમૃત્યુ કેસમાં સાત સાધકો સામે થયેલી ફરિયાદમાં આરોપીઓ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી ૭મી ઓગસ્ટ પર મુલત્વી રહી છે. આ કેસની વિગત એવી છે કે બંને બાળકોના અપમૃત્યુ કેસમાં આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરવા આજે આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર થવાનું હતું. જોકે એક આરોપી આજે કોર્ટ સમક્ષ હાજર ન થતાં ચાર્જફ્રેમની કાર્યવાહી થઇ શકી ન હતી.
JD/DT
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.04 % |
નાં. હારી જશે. | 19.31 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: