મૌની અમાસે 80 લાખ શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવશે
અલાહાબાદ :
પાંચ મુખ્ય સ્નાન પર્વોમાં ગણના પામતું મૌની અમાસના પર્વ પર 80 લાખ શ્રદ્ધાળુઓ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધશે. ચાલુ વર્ષે ગુરુવાર, તા. 30 જાન્યુઆરી, 2013ના રોજ આવતું આ પર્વ સ્થાનિક તંત્ર તથા ઉત્તર પ્રદેશ સરકાર માટે આ સ્નાન પર્વ એક મોટો પડકાર છે. પ્રશાસન દ્વારા એક ડઝન જેટલાં ઘાટ પર સ્નાનનો પ્રબંધ કરાવવાની પૂરતી તૈયારી કરી લીધી છે.
ગંગાના સંગમ ઘાટ, અરૈલ ઘાટ, રામઘાટ, દંડી બાડા ઘાટ, આચાર્ય બાડા ઘાટ તથા દશાશ્વમેઘ ઘાટ, કાલી સડકથી મહાવીર માર્ગ, મહાવીર માર્ગથી અક્ષયવટ માર્ગ, ખાક ચૌક, ગંગોલી શિવાલા ઘાટ, જીટી રોડ તથા મોરી રોડ સ્નાન ઘાટો પર સ્નાનાર્થી આરામથી સ્નાન કરી શકશે.
મૌની અમાસના સ્નાન પર્વના રોજ ઉમટી પડનારી જનમેદનીને ધ્યાનમાં લઈને મેળા ક્ષેત્રને બે ઝોન તથા છ સેક્ટરમાં વહેચી દેવામાં આવ્યો છે. 34 પોલીસ ચોકીઓ તથા ત્રણ પોલીસ કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. મેળામાં આવનારી ભીડને ધ્યાનમાં રાખીને 29 જાન્યુઆરીની સવારથી જ પોલીસ ક્રાઉડ કન્ટ્રોલ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જે અંતગર્ત 29,30 તથા 31 જાન્યુઆરીના રોજ કાનપુર તથા પ્રતાપગઢથી ભારે વાહનો શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં.
મૌની અમાસના પર્વને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા 12 એસડીએમ, 11 મામલતદાર, 9 નાયબ મામલતદારને મેળા ક્ષેત્રમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત 13 ડેપ્યુટી એસપી, 17 ઈન્સ્પેકટર, 110 સબ ઇન્સ્પેકટર. 66 હેડ કોન્સ્ટેબલ તથ 1026 કોન્સ્ટેબલને મુકવામાં આવ્યા છે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને એટીસીની ત્રણ ટીમ, આરએએફની બે કંપની, પીએસીની નવ કંપની, બોંબ ડિસ્પોઝલ સ્કવોડની બે ટીમ, 37 મરજીવા, 533 હોમગાર્ડ તથા 200 પીઆરડી જવાનો ખડે પગે હાજર રહેશે.
MP
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: