મુલાયમ ઝાડુ પણ લગાવી શકે એમ નથીઃ બેની
નવી દિલ્હી : કેન્દ્રીયમંત્રી બેનીપ્રસાદ વર્માએ ફરી નવો વિવાદ છેડ્યો છે. તેઓએ કહ્યુ હતુ કે સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ મુલાયમસિંહ યાદવ વડાપ્રધાન આવાસમાં ઝાડુ લગાવવા માટે પણ યોગ્ય નથી. જેના પછી કોંગ્રેસે વર્માની ઝાટકણી કાઢી હતી.
ઉત્તરપ્રદેશના ફૈઝાબાદમાં એક કાર્યક્રમમાં 77 વર્ષીય વર્માએ કહ્યુ હતુ કે યાદવ વડાપ્રધાન બનવા ઈચ્છે છે પણ તેઓએ વડાપ્રધાનના નિવાસસ્થાને ઝાડૂ લગાવવાની નોકરી મેળવવા કોશિશ કરવી જોઈએ. તેઓએ ટીપ્પણી કરી હતી કે સપા જુઠ્ઠાણા અને છળ આધારીત પાર્ટી છે અને કોંગ્રેસ તેને સમાપ્ત કરી દેશે.
એકસમયે વર્મા મુલાયમની નજીક રહી ચૂકયા છે. પરંતુ અમરસિંહ આવ્યા બાદ તેઓને એકતરફ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ 2009ની લોકસભા ચૂંટણી અગાઉ તેઓ કોંગ્રેસમાં આવી ગયા હતા.
દરમ્યાન મુલાયમ વિરુદ્ધની બેનીપ્રસાદની આ ટીપ્પણીનો કોંગ્રેસે અસ્વીકાર કરતા કહ્યુ હતુ કે આ ખેદજનક છે અને પાર્ટી આ ટીપ્પણીથી અલગ છે.
કોંગ્રેસ પ્રવક્તા અફઝલે કહ્યુ હતુ કે મને ખ્યાલ નથી કે તેમણે આવી કોઈ વાત કરી છે. પણ જો તેમણે આવું કંઈ કહ્યુ છે તો ખૂબ ખેદજનક છે. મુલાયમસિંહ યાદવ એક મોટા નેતા છે અને લાંબા સમયથી રાજકારણમાં છે. કોંગ્રેસ આ પ્રકારની ટીપ્પણીથી ખુદને અલગ રાખે છે. કોંગ્રેસને તેની સાથે લેવાદેવા નથી.
જ્યારે પુછવામાં આવ્યુ કે વર્મા વિરુદ્ધ કોંગ્રેસ કોઈ શિસ્તભંગના પગલાં લેશે તો અફઝલે આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે તેઓ કેન્દ્રીયમંત્રી છે, પાર્ટી કેવી રીતે પગલાં લઈ શકે. એ પછી તેમને પુછવામાં આવ્યુ કે તો શું વડાપ્રધાને આ મામલે કાર્યવાહી કરવી જોઈએ તો તેમણે કહ્યુ હતુ કે ના એવી કોઈ વાત નથી. આ પછી તેઓએ અનેક પ્રશ્નોના જવાબ ટાળ્યા હતા.
JD/DT
ઉત્તરપ્રદેશના ફૈઝાબાદમાં એક કાર્યક્રમમાં 77 વર્ષીય વર્માએ કહ્યુ હતુ કે યાદવ વડાપ્રધાન બનવા ઈચ્છે છે પણ તેઓએ વડાપ્રધાનના નિવાસસ્થાને ઝાડૂ લગાવવાની નોકરી મેળવવા કોશિશ કરવી જોઈએ. તેઓએ ટીપ્પણી કરી હતી કે સપા જુઠ્ઠાણા અને છળ આધારીત પાર્ટી છે અને કોંગ્રેસ તેને સમાપ્ત કરી દેશે.
એકસમયે વર્મા મુલાયમની નજીક રહી ચૂકયા છે. પરંતુ અમરસિંહ આવ્યા બાદ તેઓને એકતરફ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ 2009ની લોકસભા ચૂંટણી અગાઉ તેઓ કોંગ્રેસમાં આવી ગયા હતા.
દરમ્યાન મુલાયમ વિરુદ્ધની બેનીપ્રસાદની આ ટીપ્પણીનો કોંગ્રેસે અસ્વીકાર કરતા કહ્યુ હતુ કે આ ખેદજનક છે અને પાર્ટી આ ટીપ્પણીથી અલગ છે.
કોંગ્રેસ પ્રવક્તા અફઝલે કહ્યુ હતુ કે મને ખ્યાલ નથી કે તેમણે આવી કોઈ વાત કરી છે. પણ જો તેમણે આવું કંઈ કહ્યુ છે તો ખૂબ ખેદજનક છે. મુલાયમસિંહ યાદવ એક મોટા નેતા છે અને લાંબા સમયથી રાજકારણમાં છે. કોંગ્રેસ આ પ્રકારની ટીપ્પણીથી ખુદને અલગ રાખે છે. કોંગ્રેસને તેની સાથે લેવાદેવા નથી.
જ્યારે પુછવામાં આવ્યુ કે વર્મા વિરુદ્ધ કોંગ્રેસ કોઈ શિસ્તભંગના પગલાં લેશે તો અફઝલે આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે તેઓ કેન્દ્રીયમંત્રી છે, પાર્ટી કેવી રીતે પગલાં લઈ શકે. એ પછી તેમને પુછવામાં આવ્યુ કે તો શું વડાપ્રધાને આ મામલે કાર્યવાહી કરવી જોઈએ તો તેમણે કહ્યુ હતુ કે ના એવી કોઈ વાત નથી. આ પછી તેઓએ અનેક પ્રશ્નોના જવાબ ટાળ્યા હતા.
JD/DT
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
| હાં. જીતી જશે | 80.92 % |
| નાં. હારી જશે. | 18.61 % |
| કહીં ન શકાય. | 0.47 % |



















Reader's Feedback: